મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાનો જન્મદિવસ

મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી એવા કિશોરભાઈ ચીખલીયાનો આજે જન્મદિવસ છે. માળીયાના સરવડ ગામે જન્મેલા કિશોરભાઈ ચીખલીયા આજે તેમના જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

ખેડૂતપુત્ર એવા કિશોરભાઈ ચીખલીયાએ જાહેરજીવનમાં યુવાન અવસ્થામાં પ્રવેશ કર્યો હતો અને અગાઉ રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય બાદ હાલ મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અને કારોબારી ચેરમેન તરીકે તેઓ ફરજ નિભાવી રહ્યા છે જાહેરજીવનમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તેઓ સતત જાગૃત રહે છે તેમજ જાહેરજીવન ઉપરાંત અનેક સામાજિક કાર્યો સાથે તેઓ જોડાયેલા છે

આજે તેમના જન્મદિવસ નિમિતે મોરબી જીલ્લા પંચાયત પરિવાર, કોંગ્રેસ અગ્રણીઓ, તેમના મિત્રો અને સ્નેહીઓ તેમજ “મોરબીન્યુઝ” ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નં ૯૮૨૫૨ ૦૬૫૪૧ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે તેમજ સોશ્યલ મીડિયા પર પણ તેમણે સૌ કોઈ શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat