

વાંકાનેર તાલુકાના જાલી રોડ પર આવેલ સિરામિકમાં કામ કરતા યુવાન પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના મિલ પ્લોટમાં રહેતા રોહિત લાલજીભાઈ પીસડીયા (ઉ.વ.૩૦) નામના યુવાન જાલી રોડ પર પ્રિન્સ સિરામિકમાં કામ કરતા હોય અને ગત તા. ૨૦ ના રોજ સાંજના સુમારે અચાનક પડી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યા હતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

