ખીજડીયા ગામે મહિલાની છેડતી મામલે બઘડાટી, છુટા પથ્થરના ઘા ઝીંકાયા

વાંકાનેરના ખીજડીયા ગામે મહિલાની છેડતી મામલે બઘડાટી બોલી ગઈ હતી અને છુટા પથ્થરના ઘા ઝીંકવામાં આવ્યા હત તેમજ મારામારી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના ખીજડીયા (રાજ) ગામની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના જ ગામનો રહેવાસી આરોપી પ્રીતેશ ઉર્ફે પપ્પુ ધીરજ અનકડ આંખ મારી બીભત્સ માંગણી કરી હોય જેથી સાહેદ અબ્દુલભાઈ સાજીભાઈ તથા ઈસ્માઈલ અલીભાઈ અને ફાતમાંબેન ગાજીભાઇને છુટા પથ્થરના ઘા મારી સાહેદ ઈસ્માઈલ અલીભાઈને પાઈપ વડે માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat