પરિણીતાને મરવા માટે મજબુર કરનાર સાસરિયાઓની ધરપકડ 

                                          મોરબીમાં રેલ્વે એન્જીન હેઠળ આવી ગયેલી પરિણીતાનું મોત થયા બાદ પરિણીતા આપઘાત મામલે સાસરિયાઓ સામે મરવા માટે મજબુર કર્યા અંગેનો ગુન્હો નોંધાયો હતો જે મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે.

     

 

                        શનિવારે રાત્રીના સમયે લલીતાબેન નામની પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો જે મામલે બીપીન વાઘેલા રહે. રોહીદાસપરાવાળાએ બી ડીવીઝન પોલીસમા ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ મધુરદાસ પોપટ, સાસુ રંજનબેન, નણંદ ચાંદની તેમજ દેવર રાહુલ એ તમામે મરણ જનાર લલીતાબેનને સંતાન ના થતું હોય તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે પરિણીતા આપઘાત કેસમાં સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉપરાંત આપઘાત માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે બી ડીવીઝન પોલીસે પતિ ધર્મેન્દ્ર પોપટ, સાસુ રંજનબેન અને દેવર રાહુલની અટકાયત કરી છે 

 

Comments
Loading...
WhatsApp chat