


વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબીના લક્કી ગ્રુપ દ્વારા આવતીકાલે શુક્રવારે નિશુલ્ક ચકલી માળાનું વિતરણ કરવામાં આવશે
વિશ્વ ચકલી દિવસ નિમિતે લક્કી ગ્રુપ દ્વારા તા. ૨૦ ને શુક્રવારે સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે તેમજ ચકલીના માળા વિનામુલ્યે બારેમાસ મેળવવા માટે ગોપાલ સોસાયટી, ગોમતી નિવાસ દ્રષ્ટિ ઓપ્ટીકલ, મોરબી ૨ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે વિશ્વ ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલી ઘરનો લાભ લેવા મોહિત ઘોડાસરા, ગજેન્દ્રસિંહ રાઠોડ અને જયપાલસિંહ જાદવની યાદીમાં જણાવ્યું છે

