ટંકારામાં પુરવઠા વિભાગના ગોડાઉનના બાંધકામમાં ફેરફાર કરી ચોમાસા સામે રક્ષણાત્મક પગલા લેવા માંગ

હાલમાં ટંકારામાં અતિવૃષ્ટિના કારણે તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને મોટા પાયે નુકશાન થવા પામ્યું છે.તેમજ પુરવઠા વિભાગના અનાજ ભરવા માટેના ગોડાઉનનું કામ ચાલુ છે જે પૂર્ણ થવામાં છે.આ ગોડાઉનમાં પણ પાણી આવી જાય તેવી પરિસ્થિતિ ઉદભવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.આ મામલે મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએરાજકોટ,બી એન્ડ સી વિભાગના અધિક્ક્ષક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે જો ભવિષ્યમાં  આ ગોડાઉનમાં ગરીબ માણસોમાટેનું અનાજ ભરેલ હશે અને આ રીતે પાણી આવે તો આ અનાજ બગડવાની શક્યતાઓ રહેલી છે.તો હાલમાં જે જગ્યાએ બાંધકામ ચાલે છે તે જગ્યાએ આ અંગેની જોગવાઈઓ કરી ભવિષ્યમાં આવા કુદરતી આફતો સામે રક્ષણ મળી શકે અને સરકારને નુકશાનના જાય તેમજ ગરીબ માણસો માટે રાખેલું અનાજ ના બગડે તે માટે જરૂરી આયોજન કરી સુધારા વધારા કરવા માંગણી કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat