મોરબી: ૫૦ હજાર વ્યાજ ચૂકવવા છતાં મજૂરને ધાકધમકી

મોરબીના લીલાપર રોડ પર રહેતા એક શ્રમિક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે. આરોપીઓએ ઉંચા વ્યાજદરે નાણાં આપીને પઠાણી ઉઘરાણી શરૂ કરતા આખરે પીડિતે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આ મામલે બે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વિગતવાર માહિતી મુજબ, પ્રકાશ નગરમાં રહેતા હરેશભાઈ જાદવ નામના મજૂરએ પોતાની જરૂરિયાત માટે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં કટકે-કટકે કુલ ૬૫ હજાર રૂપિયા પાંચ ટકાના વ્યાજે સો-ઓરડી વિસ્તારના મહેશ ધનજીભાઈ જાદવ અને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ પાસેથી લીધા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં મુદલ સામે ૫૦ હજાર રૂપિયા જેટલું જંગી વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, આરોપીઓ સંતોષ ન માની વધુ નાણાં માટે દબાણ કરતા હતા. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું છે. હાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.