શકત શનાળા ગામે વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ લેતા વૃદ્ધનું સારવારમાં મોત

 

મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ ઘેનની વધુ પડતી ગોળીઓ ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામે કુંભાર માટલાવાળી શેરી શક્તિ માતાજી મંદિર સામે રહેતા ભુદરભાઈ છગનભાઈ ફૂલતરીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ પોતાના ઘરે ઘેનની વધુ પડતી ગોળી ખાઈ લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.