હળવદ : હુમલાનો ભોગ બનેલા બજરંગદળ અગ્રણીના ઘરે પોલીસ પ્રોટેક્શન ક્યારે ?

પોલીસને જાણ કરી પ્રોટેક્શન માંગ્યું છતાં હજુ નથી મળ્યું

હળવદમાં બજરંગદળના સંયોજક પર જીવલેણ હુમલો થયા બાદ માહોલ બગડ્યો હતો અને તંગદિલીભરી સ્થિતિને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જોકે હુમલાનો ભોગ બનેલા બજરંગદળ અગ્રણીના ઘરે પ્રોટેક્શન મળ્યું નથી અને પરિવારને ભય સતાવી રહ્યો છે

ગત રાત્રીના બનેલી ઘટનામાં બજરંગ દળના સંયોજક ભાવેશભાઈ ઠક્કર અને અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે તો બનાવ બાદ આગજની અને તોડફોડની ઘટના બાદ સ્થિતિ વણસી હતી ત્યારે હુમલાનો ભોગ બનેલ ભાવેશભાઈને ઈજા થતા તે હોસ્પિટલ સારવારમાં છે જેનો પરીવાર હળવદમાં રહે છે જે લોકોને હજુ સુધી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી અને સવારથી સાંજ સુધીમાં અવારનવાર રજૂઆત છતાં પોલીસ પ્રોટેક્શન મળ્યું ના હોય તેવી અરજી ભોગ બનનારના ભાઈ સંજય ઠક્કરે હળવદ પીઆઈને કરી છે

Comments
Loading...
WhatsApp chat