મોરબીના જલારામ મંદિરમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી માતા-પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જનસંઘ તથા ભાજપના પાયાના પથ્થર સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન અમૃતલાલ કોટકના શ્રાધ્ધ નિમિતે મોરબીના કોટક પરિવારે જલારામ મંદિર ખાતેના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને માતાપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા એ સામાજીક, સેવાકીય તથા રાજકીય ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવનાર જનસંઘ તથા ભાજપ ના પાયા ના પથ્થર સમા સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન લીલાધરભાઈ કોટક ના શ્રાધ્ધ નિમિતે તેમના સુપુત્રો દીપકભાઈ કોટક તથા અજયભાઈ કોટક દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નીર્મીતભાઈ કક્કડની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat