મોરબીના કાંતિનગરમાં ભંગારના ડેલામાંથી ભંગારની ચોરી

 

મોરબી શહેર અને જીલ્લામાં શીયાળાની શરૂઆતથી તસ્કર ટોળકી સક્રિય થઇ છે અને ચોરને અંજામ આપી પોલીસને પડકાર ફેકી રહી છે ત્યારે બે શખ્સોએ ભંગારના ડેલામાં ગાડી લઈને તાંબા થતા પીતળના ભંગાર ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધીઈ છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીના કાંતીનગરમાં રહેતા જમાલશા રહેમાનશા શાહમદારે મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભંગારના ડેલામાં તા.૨૨ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં આરોપી સુલેમાનભાઈ હૈદરભાઈ જેડા રહે-ભરવાડ વાડા માળિયા અને ફતેમામદ તાજમામદ જામ રહે-માળિયા બંને આરોપીઓ અર્તીગા ગાડી સાથે આવી ૨૦ કિલો તાંબાનો ભંગાર કીમત રૂ.૧૩૦૦૦ તથા ૩૦ કિલો પીતળનો ભંગાર કીમત રૂ.૧૫૯૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨૮૯૦૦ નો ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે

Comments
Loading...
WhatsApp chat