કોવીડમાં મૃત્યુ પામેલ વારસદારો સહાય માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે

મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂમાં અરજી કરી શકાશે

 


                

                         રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 થી મૃત્યુ પામેલા મૃતકોના વારસદારોને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ) માંથી રૂ. 50,000/- (પચાસ હજાર) ની સહાય મેળવવા માટે હવે ઓનલાઇન અરજી પણ કરી શકાશે.

કોરોના મૃતકોના વારસદારોને સહાય ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://iora.gujarat.gov.in/cov19_login.aspx ઉપર લોગ-ઇન કરીને સંપૂર્ણ વિગતો ભરીને સબમીટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરી ખાતે પણ રૂબરૂ અરજી કરી શકાશે. વધુ માહિતી માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.

નોધ – સહાય માટેની ઓનલાઇન અરજી માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે

 

COVID SAHAY 

Comments
Loading...
WhatsApp chat