પોરબંદરથી ન્યુ દિલ્હી સુધી સાયકલ યાત્રાનું માળીયામાં AERCON પરિવાર દ્વારા સ્વાગત કરાશે
તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી ઉજવણી પ્રસંગે ગાંધીજીના જીવન મુલ્યો અહિંસા અને સ્વચ્છતા તેમજ ડ્રગના દુષણ સામે જન-જનને સંદેશો પહોંચાડવા તા. ૦૭ ના રોજ ગાંધીભૂમિ પોરબંદરથી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાયો છે જે સાયકલ યાત્રા ૧૩૦૦ કિમી પ્રવાસ કરીને ન્યુ દિલ્હી પહોંચશે CRPF દ્વારા આયોજિત સાયકલ યાત્રામાં BSF, CRPF, CISF, ITBP, SSB, NSG, અને આસામ રાયફલના ૫૦૦ જવાનો જોડાયા છે સાયકલ યાત્રા પોરબંદરથી પ્રસ્થાન કરી વિવિધ સ્થળે ફરીને મોરબી આવી પહોચી હતી આજે મોરબીથી રવાના થઈને માળિયા પહોચશે ત્યારે મોરબી જીલ્લા પોલીસ, માળિયા પોલીસ અને AERCON સિરામિક પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવશે