જામનગર લાંચ કેસમાં ઝડપાયેલ કોર્પોરેટરની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

 

        જામનગરના કોર્પોરેટર ફૂરકાન શેખ એસીબીના હાથે લાંચ કેસમાં ઝડપાયા હોય જેઓએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જે અરજી કોર્ટે નામંજૂર કરી છે

        જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર એસીબી પોલીસ મથકમાં ગુના રજીસ્ટર નંબર ૪/૨૨ ના ગુનામાં આરોપી કોર્પોરેટર ફૂરકાન શેખ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજીની મુદતે અરજી વિથડ્રો કરાવેલ અને ડીફોલ્ટ ચાર્જશીટ કરવામાં આવી હતી અને આરોપી દ્વારા આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર મેળવવા જામીન અરજી નં ૭૪૨/૨૦૨૨ થી એસીબી કોર્ટ જામનગર અરજી કરતા તા. ૧૫-૦૬-૨૦૨૨ ના રોજ પી કે ગઢવી મોરબી એસીબી પીઆઈ દ્વારા સોગંધનામું રજુ કરવામાં આવ્યું હતું અને સરકારી વકીલ ભંડેરી દ્વારા ધારદાર દલીલો કરતા જજ ચૌધરી સાહેબ દ્વારા આજે તા. ૧૬ ના રોજ રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે અને આરોપી તા. ૨૩-૦૩-૨૦૨૨ થી આજદિન સુધી જેલમાં જ છે 

Comments
Loading...
WhatsApp chat