

ગારીડા ગામ નજીક હાઈવે પર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ અજાણ્યા આશરે ૪૦ થી ૪૫ વર્ષીય પુરુષે આપઘાત કર્યો હતો
વાંકાનેર તાલુકાના ગારીડા ગામના રહેવાસી યુનુસભાઈ અલીભાઈ માથકીયાએ પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગારીડા ગામ હાઈવે રોડ પર ભેખડ પર થોડા નીચે લીમડાના ઝાડ સાથે ચાદર વડે અજાણ્યા પુરુષ આશરે ૪૦ થી ૪૫ વર્ષ વાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ ચલાવી છે

