વાંકાનેર શહેરમાંથી છ વર્ષ પૂર્વે એક યુવક ગુમ થાયો હોય જે હાલ દિલ્હી ખાતે રહીને નોકરી કરતો હોય તેવી માહિતીને પગલે એલસીબી ટીમે ગુમ યુવાનને શોધી તેનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા માટે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટીમ કાર્યરત હોય જેમાં એલસીબીના નંદલાલભાઈ પટેલને મળેલી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર જીગ્નેશ ત્રિભોવનભાઈ વરમોરા ઘરેથી અમદાવાદ જવાનું કહી નીકળ્યા બાદ છેલ્લા છ વર્ષથી પોતાના પરિવાર સાથે કોઈ સંપર્ક નાં હતો અને યુવાન હાલ દિલ્હી ખાતે ખાનગી નોકરી કરતો હોય જેથી ગુમ થનારને દિલ્હીથી લાવી મોરબી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે તો યુવાને ઘર છોડવાનું કારણ પિતાના મગજની અસ્થિરતાને કારણે છોડ્યું હોવાનું જણાવ્યું હતું