વાંકાનેરમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને એસઓજી ટીમે ઝડપ્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાંકાનેર તાલુકાના અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓને સુરેન્દ્રનગરના પાટડીથી મોરબી એસઓજીની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ભોગ બનનાર પણ મળી આવતા તેના વાળીને સ્પ્વામાં આવ્યા હતા.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચના હેઠળ મોરબી એસ.ઓ.જી પી.આઈ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગરના પાટડી ગામેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી દેવકરણ દેવજીભાઈ કડિવાર ( ઉ.૨૨) અને ભોગ બનનાર બંને મળી આવતા આરોપીની કાયદેસરની અટકાયત કરી હતી. તેમજ ભોગ બનનારને તેના વાલીને સોંપવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat