ટંકારાના લખધીરગઢ ગામે રાધા લક્ષ્મી સ્પીન ટેક્ષ પ્રા.લીમાં મજુર ઓરડીમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના લખધીરગઢ ગામે રાધા લક્ષ્મી સ્પીન ટેક્ષ પ્રા.લી. કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા સંતાષ સીતારામ ગોસ્વામી (ઉ.૩૦) એ ગત તા.૨૩ પોતાની ઓરડીમાં એકલા હતા દરમિયાન કૌટુંબિક ટેન્સનના કારણે આવેશમાં આવી જઈ પોતાની જાતે છતમાં લાગેલ પંખા સાથે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે