મોરબીના વનાળીયા ગામે અગમ્ય કારણોસર યુવકે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં દરમિયાન તેનું મોત થયું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વનાળીયા ગામે રહેતા ચેતનભાઇ પ્રભુભાઇ કુનતીયાએ અગમ્ય કારણોસર ગઇ તા-૦૭/૦૫/૨૦૨૨ ના રોજ પોતાના ઘરે કપાસમાં છટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને પ્રથમ સારવાર આયુષ હોસ્પિટલ મોરબી બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામા આવ્યો હતો. જય તેનું ચાલુ સારવાર દરમ્યાન મોત થયું છે. હાલ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.