તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજે સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ દ્વારા મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના લાભાર્થે અગ્નિકર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા અનેઅન્ય હઠીલા રોગોની ચિકિત્સા માટે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા આયુર્વેદ અધિકારી ડો. પ્રવીણભાઈ વડાવીયા, મેડીકલ ઓફિસર ડો ખ્યાતીબેન ઠકરાર, ડો. મિલનભાઈ સોલંકી, ડો. અલ્તાફભાઇ શેરશીયા અને ડો. શ્રીબા જાડેજા સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી કેમ્પનો ૧૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો