મોરબીમાં રહેતી પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો 

 

મોરબી શહેરના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી પરપ્રાંતીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક ૨ સોસાયટીમાં ભાડે રહેતા રૂકશાના ઉર્ફે માયા નકીરહુશેન અબુતાલિબ શેખ (ઉ.વ.૩૨) વાળી પરિણીતાએ પોતાના મકાનમાં આવેલ રૂમમાં છત પર આવેલ સીલીંગ પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પરિણીતા પોતે બીમાર રહેતા હોય અને બેચેન રહેતા હોય જેથી આવું પગલું ભરી લીધાનું ખુલ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પરિણીતાના આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat