વાંકાનેરના અદેપર નજીક કપડા ધોતી સગીરા નદીમાં ડૂબી જતા મોત

 

વાંકાનેર તાલુકાના અદેપર પંચાસીયા રોડ પર આવેલ નદીમાં કપડા ધોવા સગીરા ગઈ હોય અને અકસ્માતે પગ લપસી જતા નદીના પાણીમાં ડૂબી જતા ૧૭ વર્ષીય સગીરાનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અદેપર ગામની સીમમાં રહેતા ટીનાબેન રામુભાઈ બિલવા (ઉ.વ.૧૭) નામની સગીરા ગત તા. ૨૬ ના રોજ સાંજના અદેપર પંચાસીયા રોડ પુલની બાજુમાં રાતોઓ નદીમાં કપડા ધોવા ગઈ હતી અને અકસ્માતે પગ લપસી જતા નદીના પાણીમાં ખાબકી હતી અને પાણીમાં ડૂબી જતા સગીરાનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat