મોરબીમાં તા. ૧૦ ના રોજ ગુજકેટ પરિક્ષા યોજાશે.

અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

મોરબીમાં આગામી તા ૧૦ ના રોજ મોરબીની જુદી જુદી સ્કૂલોમાં ગુજકેટ પરીક્ષા સવારના ૧૦-૦૦ કલાક થી ૧૬-૦૦ કલાક સુધી યોજનાર છે. તો એના ધ્યાનમાં રાખી આ પરોક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરિક્ષાની કાર્યવાહી કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરિતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ ૧૪૪ થી  મળેલ અધિકારની રૂએ પી.જી.પટેલ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જિલ્લા મોરબી એ જાહેરનામુ પ્રસિધ્ધ કરી આથી મોરબી ખાતે ધોરણ-૧૨ સાયન્સની ગુજકેટ પરિક્ષા માટે જાહેર કરવામાં આવેલ ઉપરોકત પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર (બસો મીટર) ના વિસ્તારમાં તારીખ ૧૦-૦૫-૨૦૧૭ ના રોજ પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવુ નહિ અથવા કોઇ સભા ભરવી નહિ  કે કોઇ સરધસ કાઢવુ નહિ તેમજ પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ,કેલ્કયુલેટર વાળી ધડીયાળ તેમજ કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જવા નહિ તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીગ વગેરે ગેરકાયદેશર કૃત્ય કરવુ નહિ તેવો હુકમ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Comments
Loading...
WhatsApp chat