મોરબી જીલ્લામાં હત્યા જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે હત્યા અને લૂંટ જેવા બનાવો છાશવારે બનતા રહે છે જેમાં આજે હળવદના ચરાડવા ગામ નજીક કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જે મૃતદેહ હત્યા કર્યા બાદ સળગાવી દઈને કેનાલમાં ફેક્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ચરાડવા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનનો મૃતદેહ હોવાની માહિતી મળતા હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની વયના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી બાદમાં મૃતદેહ સળગાવી દીધેલ હોય તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે
તો હત્યાની આશંકાને પગલે હળવદ પોલીસ અને મોરબી એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે હાલ પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ યુવાનની હત્યા થઇ છે કે નહિ તે સ્પષ્ટ થશે હાલ હત્યાની આશંકા સાથે તપાસ ચલાવવામાં આવી રહી છે