


માધાપર વિસ્તારમાં રહેતા યુવાન પર પ્રેમ સંબધનો ખાર રાખી તેનું અપહરણ કરી, ઝાડ સાથે બાંધી, મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ મોરબીના માધાપર શેરી નં-૨૦માં રહેતા સુનીલ નવધણભાઈ ડાભીને તે જ વિસ્તારમાં રહેતા કાનજી રામજી પરમારની પુત્રી સાથે પ્રેમ સંબધ હોય જેનો ખાર રાખી નંદલાલ ઘનજીભાઈ પરમાર, મહાદેવ ઘનજીભાઈ પરમાર, વલ્લભ ધરમશીભાઈ હડીયલ,કે.કે. પરમારના ભાઈ અને બીજા ૮ થી ૦ અજાણ્યા માણસોએ તેનું ગઈકાલે વાવડી રોડ પરથી અપહરણ કરી ગોર ખીજડીયા ગામની દીમમાં નંદલાલ ઘનજીભાઈ પરમારની વાડીએ લઇ જઈને ત્યાં કાનજી રામજી પરમાર સહિત એમ ૧૦ આરોપીઓએ એક સંપ કરી સુનીલને ધોકા અને રબ્બરના ટ્યુબ વડે મારી બંને પગમાં, હાથ અને શરીરે ઈજાઓ કરી ઝાડ સથે બાંધી મારમારી ગાળી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે સુનીલે મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

