વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈએ ક્યાં ક્યાં મુલાકત લીધી



દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ વવાણીયા ગામે આવેલા શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ વવાણીયા ગામે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો શ્રીમદ રાજચંદ્રજી ના જીવન પર માહિતી મેળવી હતી.
તત્વજ્ઞાની શ્રીમદ રાજચંદ્રનો જન્મ મોરબીના વવાણીયા ગામે થયો હતો. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ હતા. આજે પણ વવાણીયા ગામે આવેલા શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાતે લીધી હતી .તેમણે વવાણીયા ગામે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન તેઓએ શ્રીમદ રાજચંદ્રજીના જીવન વૃતાંતનું પ્રદર્શન પણ જોયું હતું.
આ મુલાકાત સમયે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના હોદેદારો દિલુભા જાડેજા, ભરતભાઈ અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સોમાભાઈ મોદીએ રબીના રામોજી ફાર્મ ખાતે મહારુદ્ર યજ્ઞની પુર્ણાહુતીમાં ભાગ લીધો હતો અને યજ્ઞમાં હાજરી આપી હતી.

