વાંકાનેર : આડા સંબંધ મામલે તરુણની હત્યા કરનારા હત્યારાને મધ્યપ્રદેશથી દબોચી લેવાયો

હત્યા કરી આરોપી પોતાના વતનમાં નાસી ગયો’તો પત્ની સાથે આડા સંબંધ રાખનારને મોતને ઘાટ ઉતાર્યો’તો

વાંકાનેરમાં ૧૩ વર્ષના તરુણની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે તપાસ આદરતા હત્યારો તેના વતન એમપી નાસી ગયો હોય જેનો પીછો કરીને વાંકાનેર પોલીસ ટીમે આરોપીને દબોચી લીધો હતો

વાંકાનેરના પંચાસીયા ગામે ખેત મજુરી કરતા કરમશીભાઈ કીકડિયાના પુત્ર બબલુ (ઉવ ૧૩) નો મૃતદેહ મળી આવ્યા બાદ બબલુની હત્યા ઠાકોર ભુરસીંગ નામના શખ્શે કરી હોવાનો ખુલાસો થયો હતો અને હત્યા અંગે ગુન્હો નોંધાતા જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી વાંકાનેર તાલુકા પીએસઆઈ જી આર ગઢવીની ટીમે તપાસ ચલાવી હતી

આરોપી ઠાકોર ભુરસીંગની પત્ની સાથે મૃતક બબલુને આડા સંબંધ હોય અને કઢંગી હાલતમાં પતિ બંનેને જોઈ જતા બોથડ પદાર્થના ઘા ઝીંકી તરુણને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો અને બાદમાં આરોપી ફરાર થયો હતો હત્યાનો ગુન્હો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ આદરી હતી જેમાં આરોપી તેના વતન એમપી નાસી ગયો હોવાની બાતમીને પગલે એક ટીમને એમપીના અલીરાજપુર ગામે રવાના કરી હતી અને આરોપીને એમપી થી ઝડપી લઈને વાંકાનેર લઇ આવવામાં આવ્યો છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat