વાંકાનેરના પાટીદાર ગ્રુપ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની દેવામાફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવાની માંગણીઓ કરીને વહેલી તકે માંગ સ્વીકારવા જણાવ્યું છે
વાંકાનેરના પાટીદાર ગ્રુપે મામલતદારને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે પાટીદારોને અનામત આપવા મુદે ગંભીરતાથી વિચારવામાં આવે. સરકાર વહેલી તકે આ મુદ્દે હકારાત્મક વલણ દાખવે તે ઇચ્છનીય છે. તો પાસ કન્વીનાર અલ્પેશ કથીરિયાને ખોટી રીતે રાજદ્રોહના કેસમાં ફસાવામાં આવ્યા છે. ત્યારે તેઓને જેલમુક્ત કરવામાં આવે.
જયારે પાટીદાર આંદોલનના અગ્રણી હાર્દિક પટેલ તેના નિવાસ સ્થાને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ખેડૂતોના દેવામાફી મુદે ચાલી રહેલા આંદોલનમાં પોલીસ દ્વારા બિન જરૂરી કનડગત કરવામાં આવી રહી છે તે માટે યોગ્ય કદમો ઉઠાવવા સહિતની માંગ કરીને તાકીદે કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે