જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના વનાળિયા ગામે નદી માથી બેરોકટોક રેતીની ઉઠાંતરી થઈ રહી છે જેની રજૂઆત છ મહિના પહેલા ત્રણ ગામના સરપંચોને સાથે રાખી કરવામાં આવેલ છતા પણ લાગતા વળગતા તંત્ર એ આંખ આડા કાન કરતા અને ખનીજ ચોરી ન રોકાતા વનાળિયા ગ્રામજનોમાં રીતસરનો રોષ ફેલાયો હતો જેના પ્રત્યાઘાત આજ રોજ ફરીથી જોવા મળ્યા હતા અને આજ રોજ વનાળિયા ગામના લોકો કલેકટર કચેરીએ ફરીથી આક્રોશ પૂર્વક લેખિત રજૂઆત કરી હતી કે અમારા ગામની નદી માથી બેરોકટોક રેતી ઉઠાવવામાં આવે છે અને ગામને જોડતા પાકા રસ્તા ટુટી જવા પામ્યા છે જે વાહન વ્યવહાર કે રાહદારીઓ ને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય અને જો યોગ્ય પગલા લઇને આવી ખનીજ ચોરી બંધ કરાવવામાં નહિ આવે તો ના છુટકે ગામલોકો અને ખનીજ માફિયા વચ્ચે તકરાર ઉભી થાય તેવા સંજોગો સર્જાયા છે અને હવે ગામલોકો નો રોષ જોતા કઇપણ નવાજુની થશે તો તેની જવાબદારી વનાળિયા ગામના લોકોની નહિ રહે તેવૂ સ્પષ્ટ શબ્દોમાં લેખિત રજૂઆત કરાઇ હતી હવે આવનાર સમયમાં ખનીજ વિભાગ દ્વારા શુ પગલા લેવાય અને આવી અવરલોડ ગાડીઓ ઉપર લગામ લગાવાય છે કે પછી જૈસે થે ના રાગડા તણાઈ છે તે તો આવનાર સમય જ બતાવશે