

કોલંબો-શ્રીલંકા ખાતે વાયબરન્ટ સિરામીક એક્સપો -સમીટ -૨૦૧૭ ના પ્રમોસન માટે મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ વિશાલ આચાર્ય દ્વારા વિસ્તૃત માહીતી આપી અને આ કાર્યક્રમ મા ઇન્ડીયન એમબેસી -હાઇ કમીશ્નર ઓફ ઇન્ડીયા – કોમર્સ સેક્રેટેરી શ્રી રાજીવ અરોરા ખાસ હાજર રહેલ તેમજ નેશનલ કન્શટ્રકસન એશોસીએસન ઓફ શ્રી લંકા ના ચેરમેન શ્રી રૂવાન ડી. સીલ્વા તેમજ ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટરીઝ ઓફ શ્રીલંકા ના પ્રમુખ શ્રી શરત કહાપ્લાર્ચી તેમજ સેનીટેરી એન્ડ ટાઇલ્સ એશોસીએસન ઓફ શ્રીલંકા ના પ્રમુખ શ્રી કામીલ હુસેન પણ હાજર રહેલ અને શ્રી લંકા મા નવા બાંધકામ ક્ષેત્ર મા આવેલ નવા રોકાણો આશરે ૧૦૦૦ થી વધુ નવા રૂમો સાથે હોટલ બની રહી છે ત્યારે બધાએ ભારત મા થી ટાઇલ્સ અને સિરામીક ઉત્પાદનો ખરીદવાની તૈયારી દર્શાવી અને ત્યાના ઇમ્પોર્ટ ના રીપોર્ટ મુજબ ગત વર્ષ કરતા ૧૦ % નું ઇમ્પોર્ટ ભારત થી વધ્યું છે જે અત્યારે ૩૦ % ઇમ્પોર્ટ ચાલુ થયું છે ત્યારે આ વર્ષે ૫૦ થી વધુ ગ્રાહકો અને બીલ્ડરો આ એકસીબીસન ની મુલાકાત લેશે અને આવતા પાંચ વર્ષ મા ૫૦ % ઇમ્પોર્ટ ભારતમાંથી કરવાની તેમની ઇચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હોવાનું સિરામિક એશો.ના પ્રમુખે જણાવ્યું છે.