



યુવાનને તાંત્રિક વિધિ કરી ધનવાન બનાવવાની લાલચ આપી બાદમાં એક વ્યક્તિના મોતનો ડર બતાવી લાખોની ઠગાઈ કરવામાં આવી હતી જે ચીટર ટોળકીના ચાર ઇસમોને એલસીબી ટીમે દબોચી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
મોરબીના કંડલા બાયપાસ પાસેના એમપી પેલેસ પાસે શિવાલિક પેલેસમાં રહેતા જતીન દુર્લભજીભાઈ જીવાણી (ઊવ ૨૭) નામના યુવાન હાઈવે પર લાલપર નજીક ઓમ માર્કેટિંગ નામની ઓફીસ ધરાવે છે જે ટાઈલ્સ ટ્રેડીંગ કરતો હોય જેને સાધુ બની આવેલા આરોપી બાલકદાસ બાપુ, ગાંડાબાપુ અને બે અજાણ્યા ઈસમોએ તાંત્રિક વિધિ કરીને ધનવાન બનાવવાની લાલચ આપી હતી તો દ્રારકા લઇ તાંત્રિક વિધિ કરવાના હોય જ્યાં અન્ય એક વ્યક્તિ પર વિધિ કર્યા બાદ તેણે લોહી વહેતું હોય અને તે યુવાન મરી જશે તો તારા પર ખૂનની જવાબદારી આવશે
તેવો ડર બતાવીને યુવાન પાસેથી ત્રણ માસના સમયમાં રોકડ રકમ તેમજ મોબાઈલ અને દાગીના મળીને કુલ ૧૦.૩૪ લાખ રૂપિયા પડાવ્યા હતા જે ફરિયાદ બાદ એલસીબી ટીમે આરોપી જવેરનાથ રજુનાથ પઢીયાર/વાદી રહે. મકનસર, દીલીપનાથ કેશનાથ બામણીયા વાદી ભોજપરા વાદી વસાહત તા વાંકાનેર, પ્રકાશ્નાથ જવેરનાથ રાજુનાથ પઢીયાર વાદી રહે. મકનસર અને વિરમભાઇ કાળાભાઈ બગડા રહે. દરેડ જી. જામનગર એ ચાર આરોપીને દબોચી લઈને રોકડ ૫,૫૫,૦૦૦ , ઈન્ડીકા કાર ૧,૫૦,૦૦૦ , મોબાઈલ ફોન છ કીમાત ૩૩,૯૯૦, સોનાનો ચેઈન કીમત ૫૦,૦૦૦ કુલ કીમત ૭,૮૮,૯૯૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે આજે આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે



