મોરબી પંથકમાં અકસ્માતોના બનાવો છાશવારે બનતા રહે છે જેમાં આજે ટીમ્બડી પાટિયા નજીક એક કાર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભરતનગર ગામ નજીક ઓફિસ ધરાવતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા આનંદ શેખાવત તારાચંદ, બિરજુભાઈ , પવન મિસ્ત્રી સહિતના પાંચ વ્યક્તિ કાર લઈને ભરતનગર ઓફિસથી મોરબી પોતાના ઘર તરફ હતા ત્યારે એક બાઇકને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સાઈડમાં પડેલ બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર આનંદ શેખાવત (ઉ.વ.26) તારાચંદ (ઉ.વ.30),બ્રિજેન્દ્રભાઈ (ઉ.વ.22), દિનેશ ઉર્ફે રાજેશકુમાર (ઉ.વ.28) અને અશોકભાઈના પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા
જે બનાવની જાણ થતાં મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ટિમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતના બનાવની વધુ તપાસ ચલાવી છે