

હળવદ સર્કીટ હાઉસથી શરુ થઇ સરાનાકા પરશુરામ મંદિરથી વૈજનાથ ચોકડી સુધીના મુખ્ય રસ્તાની કામગીરી અંગે નગરપાલિકાના કાઉન્સિલર દવે દ્વારા રાજયમંત્રી કવાડિયાને રજુઆત કરવામાં આવી છે.
હળવદમાં સરા નાકાથી લઈ સર્કિટ હાઉસ સુધી અને પરશુરામ મંદિરથી વૈજનાથ ચોકડી સુધીનો માર્ગ હાલ આરએન્ડબીના કોન્ટ્રાકટર દ્વારા બનવવામાં આવી રહ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચના આપવા છતાં બેરીકેટ,દિશાસુચક બોર્ડ રાખ્યા વગર મુખ્ય માર્ગને આડેધડ ખોદી નાખેલ છે. પરિણામે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડવાની સાથે સાથે નગરપાલિકાની પાણી-ગટરની લાઈનોમાં પણ મોટા પ્રમાણમાં નુકશાન પામેલ છે.આ સંજોગોમાં આ કામ તાકીદે પૂર્ણ થાય અને આરએન્ડબીના અધિકારીઓના સુપર વિઝનમાં સતત મોનીટરીંગ કરવામાં આવે તેવી રજુઆત હળવદ નગરપાલિકાના કાઉન્સિલર તપન કુમાર દવે દ્વારા રાજયમંત્રી જયંતીભાઈ કવાડીયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી