દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિતે ગોસ્વામી પરિવાર દ્વારા શક્તિ માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.
મોરબીના શકત શનાળા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૪ ને શનિવારના રોજ અષાઢી બીજ નિમિતે સંતશ્રી નારાયણગીરી બાપુની ચેતન સમાધિએ શક્તિપૂજન ધામિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા શકત શનાળા મઠના ગોસ્વામી પરિવારે ઉપસ્થિત રહેવા હરેશગીરીબાપુની યાદીમાં જણાવ્યું છે.