મોરબીમાં બાયપાસ નજીક કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવામાં આવતા રોષ

આ મામલે રહીસોએ જીપીસીબીને પણ રજૂઆત કરી

મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ ગોકલદાસ પ્રા.નાં જીના પાસે કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવામાં આવતા તેને રોકવા અને તેની સામે કાયદેસરની કાયવાહી કરવા માટે મોરબી નગરપાલિકાના વોર્ડ-૧૧નાં કાઉન્સીલર કુસુમબેન કરમશીભાઈ પરમારએ મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.જેમાં જણાવ્યું હતું કે ગઈકાલ મોડીરાત્રીના ગોકલદાસ પ્રા.નાં જીન પાસે હાલ ટેન્કર નં-જીજે ૧ વી ૬૮૩૯ દ્વારા અતિશય દુર્ગંધ મારતું કોઈ કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું.જેની જાણ લત્તાવાસીઓને જાણ તથા સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને ટેન્કર ચાલકએ સ્થાનિકોને અપશબ્દો કહ્યા હતા તેમજ ધાક-ધમકી પણ આપવામાં આવી હતી.આ કેમિકલ યુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાનો ભય તથા ચામડીના રોગ થવાની શક્યતા છે.તો આ મામલે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરવામા આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat