


માધાપર વિસ્તારમાં રહેતા યુવાન પર પ્રેમ સંબધનો ખાર રાખી તેનું અપહરણ કરી, ઝાડ સાથે બાંધી, મારમારી જાનથી મારી નાખવાની ધમકી બનાવમાં કુલ દસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી લીધા છે.
મોરબીના માધાપર શેરી નં-૨૦માં રહેતા સુનીલ નવધણભાઈ ડાભીને તે જ વિસ્તારમાં રહેતા કાનજી રામજી પરમારની પુત્રી સાથે પ્રેમ સંબધ હોય જેનો ખાર રાખી નંદલાલ ઘનજીભાઈ પરમાર, મહાદેવ ઘનજીભાઈ પરમાર, વલ્લભ ધરમશીભાઈ હડીયલ, કે.કે. પરમારનો ભાઈ અને બીજા અજાણ્યા માણસોએ તેનું ગઈકાલે વાવડી રોડ પરથી અપહરણ કરી ગોર ખીજડીયા ગામની સીમમાં નંદલાલ ઘનજીભાઈ પરમારની વાડીએ લઇ જઈને ત્યાં કાનજી રામજી પરમાર સહિત એમ ૧૦ આરોપીઓએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી
જે મામલે પોલીસે રાયોટીંગ સહિતનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી અપહરણ કેસની તપાસ ચલાવતા પીઆઈ આર. જે. ચૌધરી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી અગાઉ કાનજી રામજી પરમાર, નંદલાલ ઘનજી પરમાર, મહાદેવ ઘનજી પરમાર, વિનોદ પરમાર અને વલ્લભને ઝડપી લીધા બાદ વધુ ત્રણ આરોપી તુલસી કરમશી રાઠોડ, રતિલાલ કાનજી પરમાર અને ભરત માવજી રાઠોડને ઝડપી લેવાયા છે તો અપહરણ મારામારી મામલે ઝડપાયેલા તમામ આઠ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે

