ઉનાળા ના સમય મા એક બાજુ જ્યારા સૂર્ય નારાયણ કોપાયમાન થયા છે ત્યારે બીજી બાજુ મોરબી મા સેવા ભાવી સંસ્થા ઓ દ્વારા માનવતા મહેકાવવા મા આવી રહી છે.
પ્રાપ્ય વિગતો મુજબ શ્રી રધુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના આગેવાન હરીશ ભાઈ રાજા દ્વારા શહેર ના સરદાર રોડ સ્થિત તેમના વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખાતે પસાર થતા રાહદારીઓ માટે વિના મૂલ્યે જલ સેવા પ્રદાન કરવા મા આવી રહી છે. ગત વર્ષે ઉનાળા ના સમય દરમિયાન તેમના સહયોગી પ્રકાશ ભાઈ નુ સન સ્ટ્રોક થી અવસાન થયુ હતુ ત્યારે આ ભગીરથ કાર્ય દ્વારા સ્વ.પ્રકાશ ભાઈ ને શ્રધ્ધાંજલી આપવા મા આવશે તેવુ હરીશ ભાઈ રાજા એ અંત મા જણાવ્યુ હતુ.