મોરબીમાં બોખાની વાડીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

 

મોરબીમાં નકુમ પરિવાર દ્વારા પંચાસર રોડ, માધાપર વાડી પ્રાથમિક શાળાની બાજુમાં બોખાની વાડી ખાતે તા :૧૯  થી તા :૨૫ માર્ચસુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા :૧૯ /૩ ને સોમવારે સવારે ૯:૦૦ વાગ્યે રામજી મંદિર થી કથાના સ્થળ સુધી ભવ્ય પોથી યાત્રા યોજાશે. તો નકુમ પરિવાર દ્વારા કથામાં આવતા વિવિધ ધામિઁક પ્રસંગોની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

જેમાં તા:૨૦ /૩ ના રોજ કપિલ પ્રાગટય, તા :૨૧ ના રોજ નૃસિંહ પ્રાગટય, તા :૨૨ ના રોજ સવારે વામનપ્રાગટય, બપોરે રામ જન્મોત્સવ, તથા સાંજે કૃષ્ણ જન્મોત્સવ, તા :૨૩ ના રોજ ગોવધઁન લીલા, તા :૨૪ ના રોજ સાંજે રૂક્ષ્મણી વિવાહ,તા :૨૫ ના રોજ સવારે સુદામા ચરિત્ર, બપોરે વિષ્ણુ દશાંશ યજ્ઞ, અને સાંજે ૫ કલાકે કથાની પૂણાહુતી થશે. તો કથા દરમિયાન રોજ રાત્રે ધુન – ભજન, અને બપોરે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહમાં શકત શનાળાના જાણીતા કથાકાર અનિલપ્રસાદ રાવલ તેમની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. ભકતજનોને કથાનું રસપાન કરવા નકુમ પરિવાર દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat