મોરબીમાં પંડિત પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તા ૨૯ થી કથાનો પ્રારંભ, વિવિધ પ્રસંગોની ઉજવણી

        મોરબીના પંડિત પરિવાર દ્વારા તા. ૨૯-૧૦ થી રવાપર રોડ ડાયમંડ સુપર માર્કેટ સામે “હરિદ્વાર” ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે જેમાં કથા શ્રવણ સવારે ૦૯ ; ૩૦ થી ૧૨ : ૩૦ અને સાંજે ૦૩ ; ૩૦ થી ૦૬ : ૩૦ કલાક સુધી લાભ લઇ શકાશે

        શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભે તા. ૨૯ ના રોજ સવારે ૯ કલાકે જલારા પ્રાર્થના મંદિરથી પોથીયાત્રા યોજાશે જે રવાપર રોડ પર કથાસ્થળે પૂર્ણ થશે સપ્તાહ દરમિયાન તા. ૩૦ ને બુધવારે શ્રી કપિલ જન્મ, શ્રી વરાહ નૃસિંહ પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન ઉત્સવ અને રુક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

        પંડિત પરિવાર દ્વાર પિતૃઓના સ્મરણાર્થે આયોજિત ભાગવત સપ્તાહમાં સંતવર્ય શ્રી રવિરામબાપુ હરિયાણી (મુ. રાભડા તા રાજુલા) ના શ્રીમુખે ભાગવતગાન કરાવશે

Comments
Loading...
WhatsApp chat