કોરોના મહામારીને પગલે રાજ્યમાં યોજાનાર શિષ્યવૃત્તિ પરીક્ષાઓ મોકૂફ

કોરોના મહામારીને પગલે રાજ્યમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી રહી છે જેમાં અગાઉ બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કર્યા બાદ હવે રાજ્યના શિક્ષક બોર્ડે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના સચિવે પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ ૦૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે પરીક્ષા તા. ૦૨-૦૫-૨૧ ના રોજ યોજવાનું નક્કી કરેલ હોય હાલ કોરોના મહામારીને પગલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષાની નવી તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર હવે પછી જાહેર કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat