વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી જલારામ જીન પાછળ રહેતી સારા મહેબુબ ધણીયા (ઉ.વ.૧૬) નામની સગીરા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ મથકના એએસઆઈ મણીલાલભાઈ ગામેતી પાસેથી મળતી વિગતો પ્રમાણે સગીરાને પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા લાગી આવતા આયખું ટુંકાવ્યું હોવાનું ખુલ્યું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat