


મોરબી જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ પરીક્ષા તારીખ ૨૩/૦૪/૨૦૧૮ ના રોજ યોજાનાર હોય આ પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો- વ્યવસ્થા જળવાઇ રહે તે માટેફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪થી મળેલ અધિકારની રૂએ કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી એ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે
જેમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ પરીક્ષા માટે મોરબી જિલ્લામાં સ.વ.પ. કન્યા વિદ્યાલય-મોરબી, ધી.વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ-મોરબી, ડી.જે.પી.કન્યા વિદ્યાલય-મોરબી, નવયુગ વિદ્યાલય-મોરબી, નિર્મલ વિદ્યાલય-મોરબી, દોશી એમ.એસ.એન્ડ ડાભી એન.આર.હાઈસ્કુલ-મોરબી, સેન્ટમેરી હાઈસ્કુલ-મોરબી, નિલકંઠ વિદ્યાલય-મોરબી, નવજીવન વિદ્યાલય-મોરબી, સાર્થક વિદ્યાલય મોરબી-૨ સ્થળોએ તા.૨૩/૦૪/૨૦૧૮ ના રોજ લેવાનાર છે.
જે પરીક્ષા માટે મોરબી જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો જાહેર કરવામાં આવેલ હોય તેવા પરીક્ષા સ્થળની આસપાસના ૨૦૦ મીટર (બસો મીટર) ના વિસ્તારમાં તા.૨૩/૦૪/૨૦૧૮ ના રોજ સવારના ૯:૦૦ કલાકથી સાંજના ૭:૦૦ સુધી પરીક્ષા માં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરધસ કાઢવું નહી
તેમજ પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરેની સુવિધા ધરાવતી દુકાનો બંધ રાખવી તેમજ ગેરકાયદેસર કૃત્યુ કરવુનહી તેવો હુકમ ફરમાવેલ છે.
આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.
સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષા ર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યકિતઓને પરીક્ષા ર્થીઓ મોબાઇલ ફોન સાથે લઇ જઇ શકશે નહી.), ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને, લાગુ પડશે નહિ આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

