વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ ગ્રુપ દ્વારા યોજાનાર રથયાત્રા મોકૂફ રાખવામાં આવી

 

વાંકાનેરમાં દર વર્ષે તા. ૧૬ મી જાન્યુઆરીના દિવસે સમસ્ત કોળી સમાજ ગૃપ દ્વારા પૃથ્વીપતિ સમ્રાટ માંધાતાદેવની રથયાત્રા યોજવામાં આવે છે જોકે હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે

કોરોનાની મહામારીના કારણે રેલીમાં આવતાં લોકો બીમાર ન પડે તેની સાવચેતી રાખવા આ વર્ષે આ રથયાત્રા બંધ રાખવામાં આવે છે જેની સમગ્ર જનતાને ગૃપના સંચાલક જિજ્ઞાસાબેન મેર અને પ્રમુખ શૈલેષભાઈ જાંબુકિયા દ્વારા જાણ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat