રાજકોટના રાજવી સ્વ. મનોહરસિંહજીને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ભાવાંજલિ

મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજકોટના રાજવી અને કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ મંત્રી સ્વ. મનોહરસિંહજી જાડેજાને ભાવાંજલિ અર્પતા જણાવ્યું હતું કે તેઓ બહિર્મુખી પ્રતિભા ધરાવતા એક સંપન્ન રાજનેતા હતા. સંસદીય બાબતોમાં માહેર એવા દાદા સારા લોકપ્રહરી હતા. યુવાનીમાં ક્રિકેટર તરીકે અને ઢળતી વયે કવિ તરીકે તેમની પ્રતિભા વિશિષ્ટરૂપે ખીલી હતી કોંગ્રેસ સરકારમાં વિવિધ ખાતાના મંત્રી તરીકેનું તેમનું જાહેર પ્રદાન અવિસ્મરણીય બની રહેશે. તેમના નિધનથી ગરીબોએ પોતાનો બેલી અને પ્રજાએ એક વત્સલ રાજવી ગુમાવ્યાનો રંજ અનુભવ્યો છે. તેમના નિધનથી સૌરાષ્ટ્રના જાહેર જીવનનો એક સિતારો અસ્ત પામ્યો છે. આવા લોકનેતાને ભાવવિભોર અંજલિ અર્પિને બ્રિજેશ મેરજાએ તેમના પરિવારને દિલસોજી પાઠવી છે.

Comments
Loading...
WhatsApp chat