વીરપર ગામના તળાવને નં ૦૧ બનાવવાનો સંકલ્પ, અધિકારી-અગ્રણીઓએ કર્યું નિરીક્ષણ

મોરબી જિલ્લામાં સુજલામ – સુફલામ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકાના વિરપર ગામનું તળાવને નંબર ૧ બનાવવાના સંકલ્પ સાથે કામગીરી ચાલી રહી છે જેમાં આજે તળાવને દત્તક લેનાર અજંતાગ્રુપના પ્રવીણભાઈ પટેલે તેમજ જીલ્લા કલેકટર આર.જે. માંકડીયાએ તળાવની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ટંકારા તાલુકાના વિરપર ગામના તળાવને ઊંડું ઉતારી જળ સંગ્રહ કરવાની નેમ સાથે અજંતા ગ્રુપ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ દત્તક લેવામાં આવ્યું છે આજે આ તળાવની કામગીરીનું નિરીક્ષણ જિલ્લા કલેકટર માકડીયા, ગામના અગ્રણી વલમજીભાઈ રાજપરા, પ્રભુભાઈ પનારા, મહેશભાઈ લિખિયા સહિતના અગ્રણીઓએ કર્યું હતું.

સુજલામ સુફલામ યોજના હેઠળ હાલમાં આ તળાવમાંથી ૧૦ હજાર સીએમ માટી કાઢવામાં આવી છે અને હજુ પણ ૫૦૦૦ સીએમ માટી કાઢી આ તળાવને સમગ્ર જિલ્લામાં નંબર વન બનાવવાની નેમ આ તળાવને દત્તક લેનાર પ્રવીણભાઈ પટેલે વ્યક્ત કરી હતી. તો વીરપર ગામમાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરીમાં ગ્રામજનો પણ ઉત્સાહ સાથે સહયોગ આપી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat