મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સહયોગથી આયોજિત નિદાન કેમ્પનો દર્દીઓએ લાભ લીધો 

 

મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા ડો. હસ્તીબેન મહેતાના એક દિવસીય ૧૦૬ માં કેમ્પનું આયોજન કાલિકા પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનો ૨૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો

જે કેમ્પમાં દર્દીઓને ત્રણ દિવસની નિશુલ્ક દવા આપવામાં આવી હતી સાથે જ બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા કાસમભાઈ, નરેશભાઈ ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિન દેસાઈ, કોઠારીભાઈ, કેતન મેહતા, કૌશીકા રાવલ, ઋચિતા ભટ્ટ, જીગર ભટ્ટ, શબનમ મેમણ, બંસી ગોહેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રીતિબેન દેસાઈ, કવિતાબેન મોદાની, રેખાબેન મોર, મયુરીબેન કોટેચા, ચેતનાબેન અગ્રવાલ, નિશીબેન બંસલ, કલ્પનાબેન શર્મા સહિત અન્ય મેમ્બરોએ હાજરી આપી હતી

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat