

મોરબી:મોરબીના વિરપર મુકામે આવેલી નવયુગ ગ્રુપ ઓફ કૉલેજમાં B.Sc અને B.Ed અભ્યાસક્રમ નો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 700થી વધુ વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવતા વેલકમ સેરેમનીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાહિત્યકાર, લેખક અને શાળા સંચાલક સાંઈરામ દવેએ વિદ્યાર્થીનીઓને આત્મવિશ્વાસ, ધ્યેય પ્રાપ્તિ અને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ વિશે મોટિવેશન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલકોએ હાજરી આપી હતી. સંસ્થાના પ્રમુખ પી.ડી.કાનજીયાએ શુભેચ્છા પાઠવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.