


મોરબીના આંદારણા ગામે જૂની અદાવતના મનદુઃખને લઈને બે જૂથો વચ્ચે શસ્ત્ર મારામારી સર્જતા પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોચી હતી.જે બનાવના પગલે ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો જે બઘડાટી પ્રકરણમાં પેહલા પોલીસે બે રાજેશ ગોકળ પરમાર અને લખમણ ખોડા પરમાર એ બંનેને મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઝડપી લીધા હતા ત્યાર બાદ પણ જે લોકોના આ બઘડાટીમાં હતા તેવા લાલજીભાઈ જ્સાપરા, રણછોડ છનીયારા, છેડાભાઈ પરમાર અને પ્રવીણ પરમાર સહિતના ચાર શ્ખ્સોએ પોલીસ સમક્ષ હાજર થયા હતા.તેમજ ગત સાંજના સમયે વિનોદ ગોકળભાઈ ભરવાડ,હરજી ભરવાડ,નાનુભાઈ કુંભાભાઈ ભરવાડ,સતાભાઈ ભવાનભાઈ ભરવાડ અને રાજુભાઈ વિસાભાઇ ભરવાડ પોલીસ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ ૧૧ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.