


દેશ વિદેશમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર સ્વ. બાબુભાઈ કાનજીભાઈ વ્યાસ દ્વારા સ્થાપિત હરીલાલ કાનજીભાઈ વ્યાસ સંચાલિત સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ (ખાખરાળા) દ્વારા આગામી તા. ૧૭ ને ગુરુવારના રોજ રાત્રે ૧૦ કલાકે વાંકાનેરના મોટા જડેશ્વર ખાતે ગાયોના લાભાર્થે ભવાઈનો કાર્યક્રમ યોજાશે જે ભવાઈના કાર્યક્રમનો દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.