મોરબીના યુવા ઉધોગપતિ સાગર સદાતીયાને સૌરાષ્ટ્ર યુની.માં મળી શેની જવાબદારી ?

સાગરભાઈ સદાતીયાની સેનેટ સભ્યપદે થય વરણી

ગુજરાત સરકાર દ્વારા મોરબીના લોકલાડીલા યુવા ભાજપ અગ્રણી તથા યુવા ઉધોગપતિ સાગરભાઈ બી.સદાતીયાની  સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સેનેટ સભ્યપડે નિમણુક કરવામાં આવી છે.સાગરભાઈએ માન.મુખ્મંત્રી વિજયભાઈ રૂપાણી,પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાધાણી,સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલ.માન.સંસદ મોહનભાઈ કુંડારિયા,ચેરમેન પ્રદીપભાઈ વાળા,મોરબી-માળિયા(મિ.) ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા,ટંકારા ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા,પ્રજ્ઞેશભાઈ વાધેલા તેમજ મોરબી જીલ્લા ભાજપ ટીમનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.યુવા ઉધોગપતિ સાગરભાઈ સદાતીયાએ મોરબી ન્યુઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણક્ષેત્રે રહેલા મોરબીના પ્રશ્નોને પ્રથમ પ્રાથમિકતા આપશે અને મોરબીમાં જે ફેકલ્ટી નથી તેથી વિધાર્થીઓને રાજકોટ કે અન્ય શહેરમાં ભણવા જાવું પડે છે અને વિધાર્થીને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી મોરબીમાં જ જરૂરી ફેકલ્ટી ઉપલબ્ધ થાય તે માટે પૂરતા પ્રયાસ કરશે.યુવાનોને સંદેશો આપતા કહ્યું હતું કે વિધાર્થીઓની વિચારધારા બદલે તેનાજ રાજનીતિને યુવા વર્ગની જરૂરિયાત છે ત્યારે વધારે યુવાનો રાજનીતિમાં જોડાય અને દેશના મૂળમાં રહેલા ભ્રષ્ટાચાર.બેરોજગારી જેવા દુષણને કાયમ માટે દેશ નિકાલ કરે. આજની યુવા જનરેશનમાં ઉધોગો સાથે શિક્ષણ જરૂરી કછે.

Comments
Loading...
WhatsApp chat